×

શાખાની કામગીરી

  • જિલ્લા પંચાયત, કચ્છ-ભુજની શાખાઓ તથા તાબાની કચેરીઓમાં સેટ અપ (સરકારશ્રી દ્વારા મંજુર થયેલ નિયત જગ્યાઓ) મુજબની જગ્યાઓએ નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી,સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક,ડ્રાયવર અને વર્ગ-૪ની જગ્યાઓ ભરવા સરકારશ્રીને દરખાસ્ત કરવી.
  • સરકારશ્રીની મંજુરીથી નિયમાનુસાર પસંદગી પામેલા ઉમેદવારોને સબંધિત સંવર્ગની જગ્યા પર નિમણુંક આપવી.
  • કર્મચારીની આંતર જિલ્લા ફેરબદલીની માંગણીની તથા પ્રતિનિયુકિતની દરખાસ્ત સરકારશ્રીને મોકલી આપવી તથા મંજુરી અન્વયે સબંધિતની બદલી કે નિમણુંકના હુકમો કરવા
  • ત્રિસ્તરીય પંચાયતોમાં ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાની કચેરીમાં નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ડ્રાયવર સંવર્ગ, વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓની સરકારશ્રીના નિયમો મુજબ બદલી કરવી
  • ઉપરોકત સંવર્ગના કર્મચારીઓની ભરતી નિયમો મુજબ બઢતી સબંધેની કાર્યવાહી કરી નિમણુંક કરવી
  • ઉપરોકત સંવર્ગના કર્મચારીઓની નિવૃતી અને પેન્શન કેસ સબંધેની કાર્યવાહી કરવી
  • ઉપર જણાવેલ તાબાના તમામ સંવર્ગના કર્મચારીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણની કાર્યવાહી કરવી
  • ઉપર જણાવેલ તાબાના તમામ સંવર્ગના કર્મચારીઓ સામેની ફરીયાદ અન્વયે નિયાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી
  • સરકારશ્રી તરફથી વખતોવખત બહાર પાડવામાં આવતા કર્મચારીઓને લગતા જાહેરનામા, પરિપત્રો, ઠરાવો વિગેરેનો અમલ કરવો અને અમલ કરાવવાની કામગીરી
  • વર્ગ-૩ના કર્મચારીઓની લાંબા સમયગાળની રજા તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની રજા મંજુરી વિષયક કાર્યવાહી કરવી
  • શ્રેયાનયાદી બહાર પાડવી

કર્મચારીઓની નિમણુક

તાલુકાની કચેરીઓમાં વયનિવૃત્ત્ત, સ્વૈચ્છિક નિવૃત્ત, અવસાન, આંતર જિલ્લા બદલી જેવા કારણોસર ખાલી પડતી નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી,સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ડ્રાયવર વિ. સંવર્ગ વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યાઓ ભરવા ભરતીથી નિમણુંક આપવા તથા બઢતી આપી જગ્યા ભરવા બાબત તથા ભરતીની સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવતી જાહેરાતો મુજબની કાર્યવાહીથી પસંદગી પામેલા ઉમેદવારોને તથા સરકારશ્રી દ્વારા રહેમરાહે નિમણુંક થતાં આશ્રિત ઉમેદવારોને નિમણુંક આપવામાં આવે છે. પ્રતિનિયુકિતથી બદલી કે નિમણુંકની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ પગારધોરણ ૪૦૦૦-૬૦૦૦ સુધીની અમુક જગ્યાઓની ભરતી સરકારશ્રીની મંજુરી મેળવી, સચિવશ્રી, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા જાહેરાત મુજબની કાર્યવાહી કરી, પસંદગી યાદી મુજબ નિમણુંક કરવામાં આવે છે.

બદલી

તાલુકાની કચેરીઓમાં સરકારશ્રીના વખતો વખતના બદલીને લગતા ઠરાવો/પરિપત્રો/ માર્ગદર્શક સિધ્ધાંતો ધ્યાનમાં લઇ નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી,સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ડ્રાયવર વિ. સંવર્ગ વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓની વહીવટી સરળતા માટે / માંગણીથી કે ફરીયાદના કારણોસર બદલીની કાર્યવાહી કરવામાં આવે છે.
ઉપરોકત સંવર્ગના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી તથા પ્રતિનિયુકિતથી બદલી સબંધેની કાર્યવાહી સરકારશ્રીના પ્રર્વતમાન નિયમાનુસાર કરવાની તથા સરકારશ્રીની મંજુરીથી તેઓની બદલીની કાર્યવાહી કરવામાં આવે છે.

કર્મચારીની નિવૃત્તી

સરકારશ્રીના નિયમો મુજબ નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ડ્રાયવર વિ. સંવર્ગ-૩ વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓની વયમર્યાદા ૫૮ વર્ષ મુજબ સબંધિત કર્મચારીઓને વયનિવૃત્ત કરવાના હુકમો કરવામાં આવે છે. તેમજ કોઇ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્ત થવા ઇચ્છતા હોય તો તેઓને નિયમાનુસારની કાર્યવાહી કરી, સ્વૈચ્છિક નિવૃત્ત કરવાની કામગીરી આ શાખા દ્વારા કરવામાં આવે છે.